Headlines

પોરબંદરમાં રોટરી ક્લબ દ્વારા માનવસેવા પહેલ: ખાટલા વિતરણ કાર્યક્રમ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં સમાજના જરૂરિયાતમંદ વર્ગના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખી રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આજરોજ ખીજડી પ્લોટ ગાર્ડન, પોરબંદર ખાતે ખાટલા (પલંગ) વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરના રોડ તથા ગલી વિસ્તારોમાં સફાઈ કાર્ય કરતા તેમજ ઝૂંપડામાં રહેતા કામદારોના પરિવારજનો માટે આયોજિત આ માનવસેવા કાર્ય અંતર્ગત કુલ 100 ખાટલા (પલંગ) નું…

Read More

જામનગર સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા જામ વંથલીમાં યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં 79 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા- સમસ્ત પંચકોશી ભરવાડ સમાજના અગ્રણી રાજુભાઈ ભરવાડનું સન્માન કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૨-૨૦૨૬        જામનગર જિલ્લાના જામ વંથલી ગામ ખાતે જામનગર જિલ્લા સમસ્ત પંચકોશી ભરવાડ સમાજ આયોજિત 15 મા સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 79 નવદંપતીઓએ દાંપત્યજીવનમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ સમાજની એકતા, સંસ્કૃતિ અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો.       આ સમૂહ લગ્ન ઉત્સવમાં…

Read More

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાણાવાવ-કુતિયાણાના ગ્રામ્ય વિસ્તારોમાં જનસંપર્ક સાધ્યો

માંડવીયાના હસ્તે અને કેબિનેટ મંત્રી મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ટેરી ખાતે આહીર સમાજ અને સીસી રોડનું લોકાર્પણ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લાના સર્વાંગી વિકાસ અને સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જિલ્લાના રાણાવાવ તથા કુતિયાણા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત…

Read More

બંગલો વેચાઉ છે- સરનામું: આશિક કોલોની, નીચે પાન કી દુકાન, ઉપર જુલી કા મકાન (Filmorium – Naran Baraiya)

 નારન બારૈયા  “ઓ રોમિયો”ના ગીતો: ખતરનાક લવ ડોઝ  નીચે પાનની દુકાન હોય અને એ દુકાનની ઉપર જુલીનું મકાન હોય. તો બચીને જ આવવું પડે ને! પણ બચીને આવો કે ના આવો, જુલી જ તમને એમ કહે કે તમારા માટે શરબત બનાવ્યું છે. ઉપર આવી જાઓ અને કાજલ લગાવી જાઓ, જેથી કરીને કોઈની નજર ના લગે……

Read More

ભાવનગરમાં 4 ક્વાડ્રુપ્લેટ્સ નવજાત શિશુઓને 63 દિવસની સફળ સારવાર બાદ તંદુરસ્તી સાથે ડિસ્ચાર્જ: સર ટી હોસ્પિટલના બાળ આરોગ્ય NICU ટીમ દ્વારા HOD ડો.મેહુલ એમ.ગોસાઈ અને ટીમ દ્વારા થયેલ નોંધપાત્ર કામગીરી

ડો. યશ દવે, ભાવનગર સર ટી હોસ્પિટલ ના બાળ આરોગ્ય વિભાગ ખાતે કાર્યરત નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં દાખલ થયેલા ચાર નવજાત શિશુઓ (ક્વાડ્રુપ્લેટ્સ) ને કુલ 63 દિવસની સફળ અને સુવ્યવસ્થિત તેમજ સઘન સારવાર બાદ આજે સંતોષકારક અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથેની પરીસ્થિતિમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ દંપતિ છેલ્લા 15 વર્ષથી નિ:સંતાન હતા અને…

Read More

આદિત્યાણામાં “હનુમાન” ઉપર હુમલાના કેસમાં કોટડા ગેંગના 5 શખ્સોને 7 વર્ષની કેદ ફરમાવતી અદાલત 

અદાલતે 15 મૌખિક પુરાવાઓ અને આઠ દસ્તાવેજી પુરાવાઓ સાથે એપીપી જયેશ ઓડેદરાની ધારદાર દલીલો ધ્યાને લીધી    ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમા આદિત્યાણા નજીક એક યુવકને રોકી અકસ્માત સર્જી માર મારવાના કેસમાં રાણાવાવ કોર્ટે 5 આરોપીઓને અલગ અલગ ફોજદારી કલમો હેઠળ કુલ 7 વર્ષની સજા અને ૧૦-૧૦ હજાર રૂપિયાનો દંડ ફરમાવ્યો છે.   આ…

Read More

ખંભાળિયા નજીક મોટરસાયકલ અકસ્માતમાં યુવાનનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૫           ખંભાળિયા તાલુકાના સુમરા તરઘડી ગામે રહેતો તનવીર મકબુલભાઈ ખીરા નામનો 18 વર્ષનો યુવાન તેના મિત્ર અશફાક સાથે યામાહા મોટરસાયકલ પર બેસીને મંગળવાર તા. 3 ના રોજ ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે ઉર્ષના મેળામાં ગયો હતો. જ્યાંથી સાંજના સમયે પરત ફરતી વેળાએ બાઈક ચાલકે તેનું મોટરસાયકલ પૂરઝડપે…

Read More

દ્વારકામાં અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિનો પ્રારંભ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૬         દ્વારકા ખાતે અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિનો પ્રારંભ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ કરાવ્યો હતો. સાથે તેમણે દ્વારકાધીશ મંદિર અને શારદાપીઠ ખાતે દર્શન કર્યા હતા.      આ ઉપરાંત અર્જુનભાઈ મોઢવાડીયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગાંધવી (હર્ષદ) ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કર્યાં હતાં તેમજ વન વિભાગ દ્વારા નિર્મિત અને…

Read More

ગીર જંગલમાં સિંહોની મૂવમેન્ટ પર વોચ રાખવા 115 કિમી વિસ્તારમાં AI-આધારિત ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ લાગુ કરાશે

ગીર જંગલમાં વન્યજીવો, એશિયાટિક સિંહોની સુરક્ષા માટે, વધુ 5 અંડરપાસ બંધાઈ રહ્યા છે 06 ફેબ્રુઆરી, 2026 ગીર જંગલમાં વન્યજીવો, ખાસકરીને સિંહોની મૂવમેન્ટ માટે હાલ બે અંડરપાસ કાર્યરત છે. હવે સિંહોની સુરક્ષા વધારવા 5 વધુ અંડરપાસ માટે બાંધકામ હાથ ધરાઈ રહ્યું છે. આ ઉપરાંત, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને સિંહ વન્યજીવ અભયારણ્યની અંદર પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝન…

Read More

ખંભાળિયાના પીપરીયા ગામે ઈસુદાન ગઢવીના વતનમાં ધર્મોત્સવ કાર્યક્રમો ભવ્ય રીતે સંપન્ન

– સંતો-મહંતો, પૂજ્ય માતાજીઓ, કલાકારો, આગેવાનો વિકાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના પીપરીયા ગામના મૂળ વતની એવા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પ્રાર્થના ફાઉન્ડેશનના ચેરમેન ઈસુદાન ગઢવીના પીપરીયા ગામે તાજેતરમાં “લોટી ઉત્સવ અને નામકરણ વિધી” પ્રસંગે અનેકવિધ કાર્યક્રમના ભવ્ય આયોજનો થયા હતા. આ કાર્યક્રમમાં પૂજ્ય સંતો મહંતો,…

Read More