Mahuva
પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં યોજાશે કાગ વંદનાનો ત્રિવિધ કાર્યક્રમ
હરેશ જોષી, મજાદર મજાદરના માડુ, ભક્ત કવિ દુલા ભાયા કાગની ૪૮મી પૂણ્ય તિથિ- ફાગણ સુદ ચોથના દિવસે, તારીખ ૩- ૩- ૨૦૨૫ના રોજ પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં કાગધામ, મજાદર ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.પૂજ્ય બાપુની પ્રેરણાથી, ૨૦૦૨થી કાગબાપુની પુણ્ય તિથિ ઉપર “કાગ એવૉર્ડ” સાથે “કાગ વંદના” નો ઉપક્રમ આરંભાયો. એ રીતે આ ૨૪ મો એવૉર્ડ અર્પણ કાર્યક્રમ છે….
નવી જાણકારી મેળવવા સાથે પ્રવાસનો આનંદ માણતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકો
હરેશ જોષી, શેત્રુંજી ડેમપાલિતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકોનો એક દિવસનો શૈક્ષણિક પ્રવાસ શાળાના આચાર્યશ્રી બી. એ.વાળાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં તળાજાની બોધ્ધ ગુફાઓ અંગે અલ્પાબેન ડોડિયા અને ચંદ્રેશભાઇ દ્વારા બાળકોને સુંદર માહિતી આપવામાં આવી હતી જ્યારે એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત સમયે પ્રદીપભાઈ જાની અને તુષારભાઇ ગોસ્વામી દ્વારા સમજણ આપવામાં…
ભાવનગરમાં કલેકટર આર.કે.મહેતાના માર્ગદર્શન નીચે વિશિષ્ટ અભિયાનનું આયોજન
રોડ અકસ્માત માં ધટાડો કરવા ભાવનગર રેડક્રોસ અને આરટીઓ કચેરી દ્વારા વાહનો ચલાવતા ડ્રાઈવરો ની આંખો ચકાસણી નું અભિયાન ચલાવાશે ટ્રાન્સપોર્ટ, હાઇવે, અને મોટા વાહનો ની હેરફેર સાથે જોડાયેલ ડ્રાઈવર અને ક્લીનર ની તપાસ કરી ચશ્મા પણ આપવા માં આવશે
રાજકોટના લેખક એસ. બી. ગોહિલના પુસ્તક “એક પોલીસ અમલદારના અનુભવો”ને સાહિત્ય અકાદમીના આત્મકથા વિભાગનું પ્રથમ ઇનામ
રાજકોટ, તા.19ગુજરાતભરમાં પોતાની એક ઉજ્જવળ અને યશસ્વી પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયેલા એસીપી એસ બી ગોહિલ દ્વારા લિખિત “એક પોલીસ અમલદારના અનુભવો” પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનો રેખાચિત્ર-પત્ર-આત્મકથાજીવનચરિત્ર વિભાગનો પ્રથમ એવોર્ડ જાહેર થયો છે.ઉલ્લેખનીય છે કે પોતાની સુદીર્ઘ પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયા પછી લેખક બનેલા સહદેવસિંહ ગોહિલે પોતાના પોલીસ અધિકારી તરીકેના પ્રથમ દિવસથી લઈને અંતિમ…
રામકથા જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી – મોરારિબાપુ
નારાયણ સરોવરમાં રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લેતાં ભાવિકો નારાયણ સરોવર, બુધવાર તા.૧૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) તીર્થસ્થાન નારાયણ સરોવરમાં ભાવિકો રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લઈ રહ્યાં છે. શ્રી મોરારિબાપુએ કથાગાન કરતાં મહિમા સમજાવતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી. રાષ્ટ્રનાં પશ્ચિમ છેડે કચ્છમાં તીર્થસ્થાન નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને…
કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન
સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં રામકથા પ્રારંભ કોટેશ્વર શનિવાર તા.૧૫-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાનનો લાભ મળ્યો છે. સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં રામકથા પ્રારંભ થયો છે. ગુજરાત અને રાષ્ટ્રની સરહદ ઉપર કોટેશ્વર નારાયણ સરોવર શ્રી ઝુલેલાલ…
ચાણસ્મા પાસે ડૂબીને મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
હરેશ જોષી, મહુવા થોડા દિવસો પહેલા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે એક અત્યંત દુઃખદ ઘટના થવા પામી હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર એ ગામના પાંચ લોકોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયા હતા. મળતી માહિતી મુજબ એક બાળક નો પગ લપસતા તે તળાવમાં ડૂબવા લાગ્યું હતું જેને બચાવવા વારાફરતી પરિવારના અન્ય સભ્યોએ કોશિશ કરી હતી એ…
